Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ભારતે એક મહાન નેતા, વિશ્વએ એક આદર્શ માનવી અને મેં મારી મોટી બહેન ગુમાવી દીધીઃ કેન્‍દ્રીય મંત્રી હરસિમરત કોર બાદલની સુષ્‍મા સ્‍વરાજને શ્રદ્ધાંજલી

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી હરસિમરત કોર બાદલે બુધવારે કહ્યું કે પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિધનથી દેશની એક મહાન નેતા અને મેં મારી મોટી બહેન ગુમાવી દીધી છે. હરસિમરતે ટ્વિટ કર્યું, ‘આજે ભારતે એક મહાન નેતા, વિશ્વએ એક આદર્શ માનવી અને મેં મારી મોટી બહેન ગુમાવી દીધી.’

સુષમાની સાથે તેમની અને પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેમજ તેમના પતિ સુખબીર બાદલની એક તસવીર પોસ્ટ કરી તેમણે કહ્યું, ‘પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિધનથી ખાલી પડેલી જગ્યા ક્યારેય ભરાઇ શકશે નહીં. ‘વાહેગુરૂતેમને શાંતિ આપે અને તેમની શરણમાં આશ્રય આપે.’

ટ્વિટર પર પોસ્ટ કરે તસવીરમાં સુખબીર લાલ રંગની પરંપરાગત ભરતકામવાળો હાથનો પંખો પકડેલા જોવા મળી રહ્યા છે. જ્યારે સુષમા સ્વરાજ અને હરસિમરત હસતાં જોવા મળ્યાં છે.

(5:26 pm IST)