Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વિદેશમાં કાળુધન કેટલું ? ;સરકારે કહ્યું ખબર નથી

નવી દિલ્હી :વિદેશોમાં કાળાધન મામલે ભારે ગોકીરો મચાવ્યા બાદ હવે સરકારે કહ્યું કે વિદેશોમાં કાળાધન અંગે કાશી જ ખબર નથી વિદેશોમાં ભારતીય નાગરિકોનું કેટલું કાળુનાણું જમા છે, એ અંગેની નક્કર માહિતી નથી.

રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કાળાનાણા સંદર્ભે મોદી સરકારના વચન સાથે જોડાયેલા એક પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં કેન્દ્રીય નાણાપ્રધાન પીયૂષ ગોયેલે મંગળવારે આ બાબતની સ્પષ્ટતા કરી હતી.

 તેમણે કહ્યું કે કાળાધન પકડવા માટે દેશમાં અને વિદેશમાં સરકાર દ્વારા સતત પ્રયાસો કરાઈ રહ્યાં છે

(11:19 am IST)