Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કરુણાનિધિના નિધન પર અમેરિકન રાજદૂત અને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી ;ડીએમકેના સુપ્રીમો અને તામિલનાડુના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા એમ,કરુણાનિધિના નિધન પર ભારતમાં અમેરિકી રાજદૂત કેન જસ્ટર અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરિસેનાએ પણ શોક વ્યક્ત કર્યો છે.

  અમેરિકી રાજદૂત કેન જસ્ટરે તેમના નિધન પર કહ્યુ, 'અમેરિકાના લોકોની તરફથી હું કરુણાનિધિના નિધન પર તેમના પરિવાર અને રાજ્યના લોકો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરુ છુ.' ઘણા ક્રિશ્ચિયન સંગઠનો તરફથી પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

(11:18 am IST)