Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સાંસદ વરુણ ગાંધીએ છેલ્લા નવ વર્ષથી પોતાની સેલેરી નથી લીધી:વેતન નહીં લેવાના છે આગ્રહી

નવી દિલ્હી :ભારતીય રાજકારણમાં વરુણ ગાંધી એક માત્ર એવા સંસદસભ્ય છે ,જેમણે છેલ્લા 9 વર્ષથી પગાર લીધો નથી. તેમણે પોતાનો પગાર તો નથી જ લીધો પરંતુ તેની સાથે સાથે તેમના દેશના સમૃદ્ધ સાંસદોને ગરીબો માટેના પગાર છોડી દેવા પણ કહ્યું છે

   અત્રે ઉલ્લેખનીય છે કે પિલિભીતના ભાજપના સાંસદ વરુણ ગાંધી વેતન વધારાના વિરોધી હોવા ઉપરાંત વેતન નહીં લેવાના પણ હિમાયતી છે તેઓએ ગરીબો અને જરૂરિયાતમંદોને છેલ્લા 9 વર્ષથી સાંસદ તરીકે વેતનનું વિતરણ કરી રહ્યા છે. 28 ગરીબોને પોતાના પગારથી ઘર આપી ચુક્યા છે

(12:00 am IST)