Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કરુણાનિધિના નિધનથી તામિલનાડુમાં ઊંડા દુઃખનું મોજું :સાત દિવસના રાજકીય શોકની સરકારની જાહેરાત

નવી દિલ્હીઃ તમિલનાડુની રાજનીતિનો મોટો ચહેરો અને ડીએમકે પ્રમુખ એમ. કરૂણાનિધિનું 94 વર્ષની ઉંમરે આજે  સાંજે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ ઘણા દિવસથી બિમાર હતા. તેમના નિધનને કારણે તમિલનાડુ સહિત રાજકીય ગલિઓમાં શોકની લહેર દોડી ગઈ છે.  

  રાજ્ય સરકારે તેમના નિધન પર 7 દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. તેમના અંતિમ સંસ્કાર બુધવારે કરવામાં આવશે. તેમના નિધન પર કેન્દ્ર સરકારે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. કરૂણાનિધિના નિધનના શોકમાં રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકેલો રહેશે. 

(12:00 am IST)