Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ચોક્સીએ ગર્લફ્રેન્ડને પણ નકલી હીરાની વિંટી પધરાવી હતી

પંજાબ નેશનલ બેંક કૌભાંડના ભાગેડૂ આરોપી : ગર્લફ્રેન્ડ બારબરા જાબરિકાનો હીરાના વેપારીએ તેને ખોટા નામથી સબંધ કેળવીને દગો કર્યો હોવાનો દાવો

રોસેઉ : પંજાબ નેશનલ બેંકને લગભગ ૧૩,૫૦૦ કરોડનો ચૂનો લગાવી એન્ટિગુઆ ભાગી ગયેલા હીરા વેપારી મેહુલ ચોક્સીએ પોતાની કથિત ગર્લફ્રેન્ડ બારબરા જાબરિકાને પણ પ્રેમનું નાટક કરી દગો આપ્યો હતો. એટલું નહીં, મેહુલે પોતાના ગ્રાહકોની જેમ બારબરાને પણ નકલી હીરાની વીંટી અને નેકલેસ આપ્યા હતા. મેહુલે બારબરાને પોતાનું નામ 'રાજ' જણાવ્યું હતું.

ઈન્ડિયા ટૂડેએ બારબરાને ટાંકીને કહ્યું છે કે, મેહુલ ચોક્સીના વકીલોએ તેનું નામ ખોટી રીતે સમગ્ર કેસમાં ઢસડ્યું છે. બારબરાએ કહ્યું કે, મેહુલે પહેલા તેની સાથે મિત્રતા કરી અને બાદમાં ફ્લર્ટ કરવા લાગ્યો. બારબરાએ કહ્યું કે, મેહુલ ચોક્સીના કથિત અપહરણ સાથે તેને કોઈ સંબંધ નથી. તેણે કહ્યું કે, મેહલુ ચોક્સીએ ગત વર્ષે તેની સાથે દોસ્તી કરવાનું શરૂ કર્યું હતું. તે પછી બંનેની દોસ્તી આગળ વધી.

બારબરા જબારિકાએ જણાવ્યું કે, હું ચોક્સીની એક દોસ્ત હતી. ચોક્સીએ પોતાનો પરિચય રાજ નામથી આપ્યો હતો. ગત વર્ષે મારી મુસાફરી દરમિયાન મેહુલે મારી સાથે દોસ્તી કહી. તે વધુ ફ્રેક્ન થઈ ગયો અને બાદમાં ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધું. મેહુલે મને ડાયમંડ રિંગ અને બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યા હતા, જે નકલી નીકળ્યા.

બારબરાએ જણાવ્યું કે, ચોક્સીએ પોતાના ફ્લેટમાં કિસ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. હું અને મારો આખો પરિવાર મામલાને લઈને તણાવમાં છીએ.' પહેલા મેહુલ ચોક્સીએ ભારત આવવાથી બચવા માટે નવો દાવ ખેલ્યો હતો. તેણે એન્ટિગુઆ પોલીસને લખેલા પત્રમાં ફરિયાદ કરી હતી કે, તેને માર મારીને જબરજસ્તીથઈ ડોમિનિકા લવાયો છે. તેણે પોતાના અપહરણમાં મહિલા મિત્ર બારબરા જાબેરિકાનો હાથ હોવાનું જણાવ્યું હતુ. મેહુલના આરોપ પર બારબરાએ કહ્યું કે, તેની પાસે મેહુલના અપહરણની ઘણી તક હતી, પરંતુ તેણે એવું નથી કર્યું. બારબરાએ ઘણા મેસેજ જણાવ્યા, જેમાં બંનેના સંબંધો અંગેની જાણકારી મળે છે.

ભાગેડુ મેહુલે એવો પણ દાવો કર્યો છે કે, તેને માર મારવામાં એન્ટિગુઆ પોલીસના લોકો હતા. મેહુલ પત્રમાં કહ્યું છે કે, છેલ્લા એક વર્ષથી તે બારબરા સાથે દોસ્તીની જેમ એન્ટિગુઆમાં રહેતો હતો. ચોક્સીએ દાવો કર્યો કે, '૨૩ મેએ તેણે (બારબરા) મને ઘરેથી પિકઅપ કરવા કહ્યું. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો -૧૦ લોકો આવ્યા અને મને મારવા લાગ્યા.' મેહુલે એમ પણ કહ્યું કે, લોકો પોતાને એન્ટિગુઆ પોલીસના માણસો હોવાનું કહેતા હતા. મેહુલે કહ્યું કે, હું અર્ધબેભાન જેવો હતો. તેમણે મારો ફોન, ઘડિયાળ અને પાકીટ લઈ લીધું. તેમણે કહ્યું કે, તે મને લૂંટવા નથી ઈચ્છતા અને મારા રૂપિયા પાછા આપી દીધા.

મેહુલે દાવો કર્યો કે, જ્યારે મને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે જાબેરિકાએ મારી કોઈ મદદ કરી. તેણે કહ્યું કે, 'જાબેરિકાએ દરમિયાન જે કંઈપણ કર્યું તેનાથી સાબિત થાય છે કે તે મારા અપહરણની યોજનામાં સામેલ હતી.' માનવામાં આવી રહ્યું છે કે, જો એક્શન લેવાય કે એન્ટિગુઆ પોલીસ તપાસ કરે તો મેહુલને ભારત લાવવામાં સમય લાગી શકે છે.

મેહુલ ચોક્સીની ડોમિનિકા પોલીસે બુધવાર સાંજે કથિત રીતે ગુમ થયા બાદ ધરપકડ કરી લીધી હતી. ત્યારથી તે ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં છે. એન્ટિગુઆના પીએમએ પહેલા કહ્યું હતું કે, તેઓ ચોક્સીને પોતાના દેશમાં પાછો નહીં લાવે, અને તેઓ ઈચ્છે છે કે, તેને સીધો ભારત મોકલી દેવામાં આવે. ડોમિનિકા કોર્ટે જોકે, તેમના પ્રત્યર્પણ પર રોક લગાવી દીધી . મામલાની ફરીથી સુનાવણી બે જૂને થશે. હવે માનવામાં આવી રહ્યું છે કે, એન્ટિગુઆના પીએમના સંકેતને જોતા ભારત સરકાર સુનાવણી દરમિયાન કેટલાક દસ્તાવેજ રજૂ કરી શકે છે.

(7:50 pm IST)