Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મોદી રીત સદા ચલી આઇ, જો કહ જાએ વો કભી ના નિભાએ : રાગીની નાયક

નરેન્દ્રભાઇના રાષ્ટ્રજોગ સંબોધન અંગે કોંગ્રેસનો ટોણો

નવી દિલ્હી,તા. ૮ : એક ટીવી ડીબેટ દરમિયાન કોંગ્રેસ પ્રવકતા રાગીની નાયકે  વેકસીન અંગે જણાવેલ કે, મોદી નીતી સદા ચલી આઇ જો કહ દે કભી ન નિભાઇ પીએમ મોદીએ આજ સુધી મોટી-મોટી ઘોષણાઓ કરી છે, આજ સુધી કોઇ પુરી નથી થઇ શકી. મોદી જ્યારે નવી વાત બોલે છે તો જનતાનો વિશ્વાસ ઉપરથી સંકોચાઇ જાય છે.

તેમણે વધુમાં જણાવેલ કે મોદી સરકારે ચોખ્ખુ કહેવુ જોઇએ કે અમે સાર્વજનીક મફત રસીકરણ કરીશુ. નરેન્દ્રભાઇએ ગઇ કાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં મફત રસીકરણ ૨૧ જુન સુધીમાં શરૂ થવાની આશા દર્શાવી હતી. મોદીએ ઘણા વિપક્ષ શાસીત રાજ્યોના મુખ્યમંત્રીઓના નિવેદનોના પરોક્ષ રૂપે હવાલો આપી જણાવેલ કે રસીકરણને લઇને રાજનીતી ઉચીત નથી.

તેમણે સાથે તે પણ જણાવેલ કે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત અનાજ દિવાળી સુધીમાં ઉપલબ્ધ કરાવાશે. વડાપ્રધાને રાજ્યોને ૧૮ થી ૪૪ વર્ષના લોકોને રસી રાજ્યોને મફત આપવાની ઘોષણા ત્યારે કરી જ્યારે દિલ્હી અને પંજાબ સહિત ઘણા વિપક્ષસાશીત રાજ્યોની સરકારોએ હાલના મહિનામાં જ રસીની અછત અને રાજ્યને સ્તર ઉપર રસીની ખરીદીમાં મુશ્કેલીનો મુદ્દો અનેક વાર ઉઠાવેલ.

(3:08 pm IST)