Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ભાજપની રસી વિરુદ્ધ હતા પણ ભારત સરકારની રસીનું સ્વાગત કરશું :અમે પણ રસી લગાવીશું: અખિલેશ યાદવ

પિતાએ રસી લગાવ્યા બાદ સપાના વડા અખિલેશસિંહ યાદવે પણ રસીકરણ માટે મન બનાવી લીધું

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવને ગઈકાલે કોરોના રસી લગાવી હતી. પિતાએ રસી લગાવ્યા બાદ સપાના વડા અખિલેશસિંહ યાદવે પણ રસીકરણ માટે પોતાનું મન બનાવી લીધું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે 'અમે ભાજપના રસી વિરુદ્ધ હતા, પણ ભારત સરકારની રસીનું સ્વાગત કરીએ છીએ અમે પણ રસી લગાવીશું'.

સપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કોરોના રસી લેવાની જાહેરાત કરી છે. કોરોના રસી ભાજપની રસી નથી તેવી જાહેરાત કરનાર અખિલેશ યાદવનો સ્વર હવે બદલાઈ ગયો છે. હવે અખિલેશે ટ્વીટ કરીને કહ્યું કે અમે પણ રસી પણ લગાવીશું.

 

તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, 'જાહેરમાં આક્રોશને જોતા અંતે સરકારે કોરોના રસીનું રાજકીયકરણ કરવાને બદલે તેમને રસી લેવાની ઘોષણા કરી. અમે ભાજપના રસી વિરુદ્ધ હતા, પરંતુ 'ભારત સરકાર'ની રસીનું સ્વાગત કરતાં, અમને પણ રસી લગાવીશું. 'અને જેઓ રસીના અભાવને લીધે તે કરી શકતા નથી તેમને પણ લાગવાની અપીલ કરીએ છીએ.

(11:56 am IST)