Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

દિલ્હીમાં છૂટછાટો જાહેર થતા જ બજારોમાં ભીડ ઉમટીઃ રાજમાર્ગો ઉપર ચક્કાજામઃ કયાંક કોરોના ફરી ઉથલો ન મારે

અનલોકના પ્રથમ દિવસે દિલ્હીમાં લોકો મોટા પ્રમાણમાં બહાર નીકળી પડ્યા હતા જેની સાક્ષી ઉપરની બે તસ્વીરો ઉપરથી મળે છે. દિલ્હીની ખારી બાવલી બજારની પ્રથમ તસ્વીર છે જ્યારે બીજી તસ્વીર દિલ્હીના એક રાજમાર્ગની છે, જ્યાં ચક્કાજામ થયેલ જોવા મળે છે. રાજ્ય સરકારે અનલોક ૨ જાહેર કરતા જ લોકો મોટા પ્રમાણમાં બહાર નીકળી પડ્યા હતા. બજારો અને રસ્તાઓ ઉપર ભીડ જોવા મળી હતી. જે રીતે ચહલ પહલ જોવા મળી હતી તે ડરાવી દે તેવી હતી. દિલ્હી કોરોનાની બીજી લહેરમાંથી માંડ બેઠુ થયુ છે ત્યાં ફરી આ ભીડ કોરોનાને ફરીથી આમંત્રણ ન આપે તે જોવુ રહ્યુ. લોકોએ હજુ કોરોનાને હળવાશથી લેવો જોઇએ નહીં. કોરોના હજુ ધૂણી રહ્યો છે અને તેની ત્રીજી લહેર બાકી છે. લોકોએ માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવુ જરૂરી છે, એટલુ જ નહીં ભીડથી બચવુ પણ જરૂરી છે. જરૂર હોય તો જ બહાર નીકળવુ જોઇએ.

(10:55 am IST)