Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

આસામના તિનસુકીયા જીલ્લાના રંગપુરી વિસ્તારમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ એક મહિલાના પતિ અને સાસુને માર મારતા બંન્નેના મોત થતા ખળભળાટ

આસામઃ આસામના તિનસુકીયા જિલ્લાના રંગપુરી વિસ્તારમાંથી ખુબ જ દર્દનાક અને ચોંકાવનારી તસ્વીરોસામે આવી છે. ગુસ્સે ભરાયેલી ભીડે એક મહિલાના પતિ અને સાસુને એટલી નિર્દયતાથી માર્યા કે હોસ્પીટલ પહોંચતા પહોંચતા તો તેઓના મોત થઇ ગયા. ચોંકાવનારી વાત એ છે કે જે સમયે આ ઘટના ઘટી તે વખતે પોલીસકર્મીઓ પણ ત્યાં હાજર હતા પરંતુ કોઇએ તે ભીડને રોકવાનું યોગ્ય સમજયું નહી.

રંગપુરી વિસ્તારમાં ત્રણ દિવસથી એક મહિલા અને તેનું બે મહિનાનું બાળક ગાયબ હતા. મહિલાના પરીજનો તને કેટલાક દિવસોથી શોધતા હતા. મહીલાનો મૃતદેહ  શુક્રવારે શૌચાલયની ટાંકીમાંથી મળી આવ્યો અને ત્યાર બાદ હોબાળો શરૂ થયો હતો.

વાત જાણે કે એમ હતી કે ગુસ્સે ભરાયેલી ભીડે મૃતક મહીલાના પતિ અજય તાતી અને સાસુ રાધા તાતીને નિર્દયતાથી મારવાનું શરૂ કર્યુ. ગુસ્સે ભરાયેલી ભીડે પહેલા તો લાતો અને ઘુસા માર્યા ત્યાર બાદ લાઠી ડંડાથી પીટાઇ કરી. બંન્નેને ગંભીર અવસ્થામાં ડિબ્રુગઢના ચિકિત્સા મહાવિદ્યાલય હોસ્પીટલમાં દાખલ કરાયા. જયાં ડોકટરોએ અજય તાતીને મૃત જાહેર કર્યા. જયારે સાસુ રાધા તાતીનું સારવાર દરમિયાન મોત થયું.

મૃત મહિલા જમુના તાપ્તીના બે મહિનાના બાળકની હજુ પણ કોઇ ભાળ મળી નથી. પોલીસ બાળકની શોધ કરી રહી છે. પોલીસની એક ટીમે મૃત મહીલાના શબને પોતાના કબ્જામાં લઇ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે. આ ઘટના બાદ વિસ્તારમાં ખુબ તણાવ છે.

(6:00 pm IST)