Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

મોદીએ દેશની જનતા સાથે વિશ્વાશઘાત કર્યો :એકપણ વાયદો પૂરો કર્યો નથી :મુલાયમસિંહનો આરોપ

ઇટાવામાં સપાના સંરક્ષક મુલાયમસિંહે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા મુલાયમસિંહે વડાપ્રધાને દેશની જનતા સાથે દગો કર્યો હોવાનો આરોપ મુક્યો હતો
  પોતાના ગૃહ જિલ્લા ઇટાવા પહોંચેલા મુલાયમસિંહે પોતાના સિવિલ  લાઈન સ્થિત આવાસે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે વડાપ્રધાન બન્યા પહેલા મોદીએ દેશની જનતાને તમામ મોટા મોટા વાયદા કર્યા હતા પરંતુ આજ સુધી એકપણ વાયદો પૂરો થયો નથી
   મોદીએ ચૂંટણી સમયે સમગ્ર દેશના દરેક નાગરિકને 15 લાખ દેવાનો વાયદો કર્યો હતો તે માત્ર વાયદો સાબિત થયો છે

(10:47 pm IST)