Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

...તો ૨૦૧૯માં હું વડાપ્રધાનઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં મોટી પાર્ટી બને તો હું પ્રધાનમંત્રી પદના શપથ લઇશ : કોંગ્રેસ અધ્‍યક્ષે ખુદને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યાઃ કોંગ્રેસનું રાજકીય આકલન સફળ રહેશે તો મોદી વડાપ્રધાન નહિ રહે

બેંગલુરૂ તા. ૮ : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવી દીધું છે. કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકની એક ચૂંટણી સભાના સંબોધનમાં એક મહત્‍વનું નિવેદન આપ્‍યું છે. ૨૦૧૯ના એજન્‍ડા સેટ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસ આવનાર લોકસભાની ચૂંટણીમાં જીતશે તો તેઓ વડાપ્રધાન બની શકે છે.

રાહુલ ગાંધીના આ નિવેદન પરથી એ સાફ થાય છે કે કોંગ્રેસ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે રાહુલ ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન પદને લઇને સાર્વજનિક રીતે આ પ્રકારનું નિવેદન આપ્‍યું છે. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્‍યું હતું કે ૨૦૧૯માં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવશે તો શું તેઓ પીએમ બની શકે છે ? રાહુલ ગાંધીએ જવાબ આપતાં કહ્યું કે હાં, કેમ નહીં ?

કર્ણાટક ચૂંટણી પ્રચાર વચ્‍ચે કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી માટે મહત્‍વનું નિવેદન આપ્‍યું છે. રાહુલ ગાંધીએ આડકતરો જવાબ આપતા કહ્યું કે, લોકો મારા નિવેદન પર હસશે પણ જો ૨૦૧૯માં કોંગ્રેસ જીતશે તો તેઓ પ્રધાનમંત્રી બની શકે છે.

૨૦૧૯માં ભાજપ સરકાર પણ નહીં બને અને નરેદ્ર મોદી પણ પ્રધાનમંત્રી નહીં બને. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કર્ણાટકના લોકો ભ્રષ્ટાચારથી ખદબદતા નેતાઓને શા માટે ચૂંટે. શું પીએમ મોદીને નોનકરેપ્‍ટેડ નેતાઓ નથી મળતા. જો ૩ પાર્ટીઓ એક સાથે આવી જાય તો ભાજપને પાંચ સીટ પણ નહીં મળે.

ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે સીધો મુકાબલો થશે અને મુખ્‍ય રાજનૈતિક લડાઈ થશે. તો રફાલ મુદ્દે અને રેડ્ડી બ્રધર્સ મુદ્દે પણ રાહુલે પીએમ મોદી પર નિશાન સાંધ્‍યું હતું. બીજી તરફ તેઓએ ભાજપ અધ્‍યક્ષ અમિત શાહને હત્‍યારા ગણાવ્‍યા હતા.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્‍યક્ષ રાહુલ ગાંધીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઈને ચોંકાવનારું નિવેદન આપ્‍યું છે.રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કહ્યું કે, ‘જો ૨૦૧૯માં કોંગ્રેસ મોટી પાર્ટી તરીકે જીતીને આવશે તો પોતે વડાપ્રધાન બની શકે છે.' રાહુલ ગાંધીએ કહ્યું કે, ૨૦૧૯માં ભાજપ સત્તામાં નહીં રહે અને નરેન્‍દ્ર મોદી વડાપ્રધાન નહીં બને.

જયારે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદને લઈને પ્રશ્ન પુછવામાં આવ્‍યો કે, શું તેઓ વડાપ્રધાન બનશે? જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો તેઓ ચોક્કસ પીએમ બનશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે સત્તામાં આવશે તો તેઓ પીએમ બની શકે છે.

રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોલારમાં રોડ શો કર્યો હતો. ત્‍યારબાદ જનસભાને પણ સંબોધન કર્યું હતું. પોતાની સભા દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પર શાબ્‍દિક પ્રહારો કર્યો હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘પીએમ મોદી ફક્‍ત વાતો કરે છે પણ ક્‍યારેય કામ નથી કરતાં.'

 

 

(2:25 pm IST)