Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

જીએસટી / સર્વિસ ટેક્સ ભરવામાંથી વકીલોને મુક્તિ આપવામાં આવી છે : નોટિસ આપીને તેમને હેરાન નહીં કરો: ઓરિસ્સા હાઇકોર્ટની ખંડપીઠનો જીએસટી કમિશ્નરને આદેશ

ઓરિસ્સા : ઓરિસ્સા હાઇકોર્ટની ખંડપીઠે જીએસટી કમિશ્નરને આદેશ આપતા જણાવ્યું છે કે જીએસટી / સર્વિસ ટેક્સ ભરવામાંથી  વકીલોને મુક્તિ આપવામાં આવી છે. તેથી નોટિસ આપીને તેમને હેરાન નહીં કરવા અધિકારીઓને સૂચના આપવા જણાવ્યું છે.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે અમોને મળેલી વિગત મુજબ વકીલોને  જીએસટી / સર્વિસ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે તે બાબત જાણતા હોવા છતાં જીએસટી અધિકારીઓ વકીલોને જીએસટી ભરવા નોટિસ મોકલી હેરાન કરે છે. અદાલત તે અંગે ખેદ  વ્યક્ત કરે છે . અને જણાવ્યું હતું કે પ્રેક્ટિસ કરતા  વકીલોને  ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ ફટકારી હેરાન કરવા ન જોઈએ.

આથી મુખ્ય ન્યાયાધીશ એસ મુરલીધર અને ન્યાયાધીશ બી.પી.ની બનેલી ખંડપીઠે હવે પછી વકીલોને આ બાબતે હેરાન કરવામાં ન આવે તેવો લાગતા  વળગતા અધિકારીઓને આદેશ કર્યો હતો.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:23 pm IST)