Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

રામ મંદિર અયોધ્યામાં નહિ તો શું મક્કામાં બનશે?: બાબા રામદેવ

યોગ ગુરૂ બાબા રામદેવ ૩ દિવસની યોગશિબિર નડિયાદમાં કરી રહ્યાં છે

નડિયાદ, તા.૮: શ્રી સંતરામ મહારાજ અને તેમના શિષ્ય લક્ષમણ દાસજી મહારાજના સમાધિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત યોગ ગુરૂ બાબા રામદેવ ૩ દિવસની યોગશિબિર કરી રહ્યાં છે. જેનો આજથી શુભારંભ થયો હતો.

બાબા રામદેવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'રામ માત્ર હિંદુઓનાં જ નહીં પરંતુ મુસલમાનોનાં પણ પૂર્વજ હતાં.'

 રામદેવ બાબાએ પોતાનાં નિવેદનમાં કહ્યું કે, 'શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી રામદાસજી મહારાજ સંતરામ મંદિરમાં ઘણો જૂનો અને આત્મીય સંબંધ છે. સાથે સાથે પૂજય મોરારીબાપુ પણ અહીંયા કથા રસપાન કરાવે છે. તેમની સાથે પિતા પુત્ર જેવો એક આધ્યાત્મિક સંબંધ છે. યોગ એ આપણી પરમ્પરા છે.'(૨૩.૧૪)

(3:38 pm IST)