Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

રેણુકા ચૌધરી જ નહીં મણિશંકર અય્યર પણ કોંગ્રેસ માટે બોજરૂપ :તહસીન પુનાવાલાનું ટ્વીટ

રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા મામલે વિરોધ કરનાર તહસીને ટ્વીટ કરતા ફરીવાર ચર્ચામાં

 

નવી દિલ્હી ;રેણુકા ચૌધરીના હાસ્યનો મુદ્દો રાજકારણમાં ગરમી પકડી રહયો છે કોંગ્રેસ વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરે કે કેમ તે અંગે સમયની રાહ જોવી રહી પરંતુ પહેલા કોંગ્રેસના એક સમર્થક તહસીન પુનાવાલાએ ટ્વિટર પોસ્ટ કરી કહ્યું છે ,, કોંગ્રેસનો કરટ્ટર સમર્થક હોવાના કારણે હું ઈમાનદારીથી સ્વિકારૂ છું કે રેણુકા ચૌધરી અને મણિશંકર અય્યર પાર્ટી માટે બોજ સમાન છે. તેમના ઘમંડના કારણે કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે. ગાંધી અને નેહરૂ જેવા નેતાઓની પાર્ટી છે

 

  અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ તહસીન પુનાવાલાએ રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવતા તેનો વિરોધ કર્યો હતો. જે બાદ તહસીન પુનાવાલા ચર્ચામાં આવ્યા હતાં.

(9:45 pm IST)