Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

સ્‍ટાર પ્‍લસની સિરીયલ ‘યે રિશ્‍તા ક્‍યા કહલાતા હૈ...'ની અભિનેત્રી દિવ્‍યા ભટનાગરનું કોરોનાથી મૃત્‍યુ

મુંબઇ: સ્ટાર પ્લસના શો યે રિશ્તા ક્યા કહલાતા હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું મોત થયુ છે. દિવ્યા કેટલાક દિવસ પહેલા જ કોરોના પોઝિટિવ આવી હતી. દિવ્યાને કોવિડ-19 પોઝિટિવ બાદ ગંભીર સ્થિતિમાં મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે કેટલાક દિવસથી વેન્ટિલેટર પર હતા, તેની માતાએ કેટલાક દિવસ પહેલા જણાવ્યુ કે તેની દીકરીની સ્થિતિ ઘણી ખરાબ છે.

દિવ્યાના મોત પર ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કેટલીક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્યએ ઇંસ્ટાગ્રામ પર લખ્યુ-

જ્યારે કોઇ કોઇની સાથે નથી હોતો, તો તમે જ હતા. દિવૂ તૂ જ તો મારી પોતાની હતી, જેને હું બોલી શકતી હતી, દિલની વાત કહી શકતી હતી. હું જાણું છું કે જીવને તમારી માટે ઘણું બધું કર્યુ છે. તમે દુખમાં હતા પરંતુ હવે હું જાણું છું કે તમે એક સારી જગ્યાએ છો, જ્યા દુખ, દર્દ, છેતરપિંડી, જૂઠાણું જેવું કંઇ નથી. હું તમને મિસ કરીશ દિવું. તમે પણ જાણો છો કે હું તમને પ્રેમ કરૂ છું અને હું તમારી ચિંતા કરતી હતી. તમે ખૂબ મોટા હતા, પણ તમે બાળક પણ હતા. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. તમે જ્યા પણ હોવ, ખુશ રહો. તમે ઘણા જલ્દી જતા રહ્યા મિત્ર

દિવ્યાએ યે રિશ્તા ક્યા કહલાતા હૈ શોમાં ગુલાબોનો રોલ કર્યો હતો. આ શો સિવાય દિવ્યાએ ઉડાન, જીત ગઇ તો પિયા મોરે અને વિષ જેવા કેટલાક શો કર્યા હતા.

(4:55 pm IST)