Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કેનરા બેંક સાથે ૧૯૮ કરોડની છેતરપીંડીનો મામલો

ચંદ્રા પરિવારના ૩ લોકો ઉપર સીબીઆઇએ કેસ નોંધ્યો

નવી દિલ્હી : કેનરા બેંક સાથે ૧૯૮ કરોડની છેતરપીંડી કરવાના મામલે સીબીઆઇએ રીયલ એસ્ટેટ કંપની યુનિટેક લીમીટેડના સંસ્થાપક રમેશ ચંદ્રા અને તેમના બે પુત્રો સંજય અને અજય વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે.

કંપનીના પૂર્વ પ્રબંધ નિર્દેશક સંજય ચંદ્ર શુક્રવારે વચગાળાના જામીન ઉપર તિહાડ જેલમાંથી છુટ્યા છે. ૨૦૧૭માં દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ રોકાણકારો સાથે છેતરપીંડી મામલે સંજયની ધરપકડ કરેલે સંજય રજી સ્પેકટ્રમ કૌભાંડનો પણ સામનો કરી રહેલ છે.

(11:38 am IST)