Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં અષ્ટમી યજ્ઞ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સજોડે ઉપસ્થિત

રેસકોર્સ મેદાનમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો : શ્રી શ્રી રવિશંકરજીની કરી સામુહિક વંદના

રાજકોટ :આર્ટ ઓફ લિવિંગ પરિવારના સર્વેસર્વા શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં આજે રાજકોટના રેસકોર્સ મેદાનમાં અષ્ટમી યજ્ઞનું આયોજન થયું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં આયોજિત ભવ્યાતિભવ્ય અષ્ટમી યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો રેસકોર્સ મેદાનમાં અષ્ટમી યજ્ઞ,દિવાળી પૂજન અને મહાસત્સંગના આયોજન થતા આર્ટ ઓફ લિવિંગ પરિવારમાં ઉત્સવી માહોલ છવાયો હતો તે પ્રસંગની વિવિધ તસવીરો નજરે પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા )

(9:37 pm IST)