Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

આવકવેરાના દરોડા-લિસ્ટમાંથી મહારાષ્ટ્રના મોટા ગજાના નેતાનું નામ છેલ્લી ઘડીએ પડતું મુકવામાં આવ્યુ: મારા ત્રણ બહેનોની કંપનીઓ ઉપર દરોડા પડ્યા છે, તે લોકો ખૂબ જ નીચા લેવલનું ગંદુ રાજકારણ ખેલી રહ્યા છે: નાયબ મુખ્યમંત્રી અજીત પવાર

મુંબઈ :મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી અજિત પવારે સત્તાવાર જાહેર કર્યું છે કે આવકવેરા ખાતાએ સવારથી તેમની ત્રણ બહેનોના નિવાસસ્થાનો અને કંપનીઓ ઉપર દરોડાઓ પાડ્યા છે.  

અજિત પવારે કહ્યું હતું કે આ દરોડા રાજકીય બદહેતુથી પ્રેરિત છે. તે લોકો ખૂબ જ નીચા લેવલનું રાજકારણ ખેલી રહ્યા છે.
દરમિયાન તંત્રના વર્તુળોના કહેવા પ્રમાણે છેલ્લી ઘડીએ એક ખુબ જ મોટા રાજકીય નેતાનું નામ અકળ કારણોસર દરોડાઓના લિસ્ટમાંથી પડતું મુકવામાં આવ્યું હતું. *ન્યૂઝફર્સ્ટ

(3:22 pm IST)