Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

મહારાષ્ટ્રમાં મંદિરોના કપાટ ખુલ્યાઃ ઠાકરે પરિવારે મુંબાદેવીના દર્શન કર્યા

મુંબઇઃ આજથી નવરાત્રીના પાવનમય દિવસોની શરૂઆત થઇ છે. કોરોનાના કારણે ગતવર્ષે તહેવારોની ઉજવણી ન થઇ શકેલ. પણ કોરોનાની સાવધાનીરૂપે કોવીડ ગાઇડ લાઇનના અમલ સાથે ભકતોને મંદિરમાં દર્શન કરવાની છુટ મળી છે. આજથી મહારાષ્ટ્રના મંદિરોના પણ કપાટ ખુલ્યા છે. પ્રથમ નોરતે ભકતોએ ભાવપૂર્વક માતાજીના દર્શન કરેલ. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ સપરિવાર મુંબા દેવીના દર્શન કરી ધન્યતા અનુભવેલ. જયારે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે સિધ્ધી વિનાયક મંદિર ખાતે પૂજા કરેલ અને સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોયેએ મહાલક્ષ્મી મંદિરે શિશ ઝુકાવ્યું હતું.

(3:13 pm IST)