Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ભાજપની નવી રાષ્ટ્રીય કારોબારીમાંથી મેનકા ગાંધી અને તેમના સાંસદપુત્ર વરુણ ગાંધીની રવાનગી

મેનકા અને વરુણ ગાંધી છેલ્લા ઘણા સમયથી પાર્ટી લાઇનથી બહાર નિવેદનો કરી રહ્યા છે. સંભવતઃ એટલે ભાજપ હાઈ કમાંડે પક્ષની જાહેર થયેલા રાષ્ટ્રિય કારોબારીમાંથી બન્નેની બાદબાકી કરી હોવાની ભારે ચર્ચા છે. આગામી ચૂંટણીમાં હવે તેમને ટિકિટ મળવાની સંભાવના નહિવત્ થઈ ગઈ છે. પક્ષમાં પણ હવે તેમનું કોઇ વજુદ રહ્યું નથી.

(3:11 pm IST)