Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

જનતા જયારે વિફરશે ત્યારે કયાંયના નહીં રહો

મુખ્યપ્રધાન ગેહલોતનું નામ ઉચ્ચાર્યા વગર પાયલોટના ચાબખા

જયપુરઃ રાજસ્થાનમાં હાલમાં અશોક ગેહલોત સરકારમાં રાજકીય પારો ફરી એકવાર ચડતો દેખાઇ રહ્યો છે. ૨ ઓકટોબરે મુખ્યમંત્રી ગેહલોત દ્વારા 'પ્રશાસન શહેરો કે સંગ' અભિયાનના શુભારંભ દરમ્યાન સ્ટેટમેન્ટ અપાયું હતું જેનો જવાબ સચીન પાયલોટે ઇશારાઓમાં આપ્યો છે.

પાયલોટે કહ્યું કે કોઇ કાયમ કોઇ પદ પર નથી રહેતું. આ તો જનતા છે, જેટલો સમય આપ તેને આપશો તેટલો સમય સિંહાસને બેસી શકશો, પણ જયારે જનતા પાસુ ફેરવશે ત્યારે એવી પલ્ટી ખવડાવશે કે ખબર પણ નહીં પડે કે શું થઇ રહ્યું છે, જે લોકોમાં ઘમંડ અને અહંકાર આવી જાય છે કે અમે જીવનના અંતિમ પડાવ સુધી સત્તામાં બેઠા રહીશું, તે તેમની ભૂલ છે.

(3:07 pm IST)