Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

લખીમપુર હિંસાઃ ૧૧ ઓકટોબરે મહારાષ્ટ્ર બંધનું એલાન

મુંબઇ, તા.૭: લખીમપુર ખીરીમાં હિંસા મામલે NCP, શિવસેના અને કોંગ્રેસે બંધની જાહેરાત કરી છે. ૧૧ ઓકટોબરે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે. આ ૩ પાર્ટીઓ બંધ પાળશે.

૩ ઓકટોબરે રવિવારે લખીમપુર ખીરીના તિકોનિયામાં થયેલી હિંસામાં ૪ ખેડૂતોના મોત થયા અને પ્રશાસન તરફથી કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી. ૪ ખેડૂતોનું સોમવારે પોસ્ટમોર્ટમ કરાયું અને મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.

યૂપીના લખીમપુર ખીરી મામલે FIR દાખલ કરવા કોર્ટની મદદ લેવાઈ છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ છે જેમાં કહેવાયું છે કે યૂપીમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન લખીમપુરમાં બનેલી ઘટનાના સંદર્ભમાં ગૃહમંત્રાલય અને પોલીસને આદેશ આપવામાં આવે છે કે FIR કરીને આ ઘટનામાં સામેલ મંત્રીઓને સજા કરાય.

(11:36 am IST)