Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

કેરળમાં કોરોનાના ઘટતા કહેર વચ્ચે દેશમાં નવા 22.604 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 24.607 દર્દીઓ રિકવર થયા : વધુ 315 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.49.883 થયો :એક્ટીવ કેસ 2.37.367 થયા : કુલ કેસની સંખ્યા 3.38.93.002 થઇ

સૌથી વધુ કેરળમાં 12.616 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2876 કેસ,મિઝોરમમાં 1471 કેસ, તામિલનાડુમાં 1432 કેસ,આંધ્રપ્રદેશમાં 800 કેસ, પશ્ચિમ બંગાળમાં 786 કેસ, ઓરિસ્સામાં 593 કેસ, કર્ણાટકમાં 523 કેસ,આસામમાં 300 કેસ

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 22.604 કેસ નોંધાયા છે. જ્યારે 24.607 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 22.604 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 315 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.49.883 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 24.607 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.38.93.002 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.37.367 થઇ છે છેલ્લા 24 કલાકમાં 24.607 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.31.92.679 લોકોએ કોરોનાને મહાત આપી છે
  દેશમાં સૌથી વધુ કેરળમાં 12.616 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2876 કેસ,મિઝોરમમાં 1471 કેસ, તામિલનાડુમાં 1432 કેસ,આંધ્રપ્રદેશમાં 800 કેસ, પશ્ચિમ બંગાળમાં 786 કેસ, ઓરિસ્સામાં 593 કેસ, કર્ણાટકમાં 523 કેસ,આસામમાં 300 કેસ નોંધાયા છે

(1:00 am IST)