Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

યુપીએસસી દ્વારા ૪૧૫ જગ્યાઓ માટે એનડીએ અને એનએ માટે પરીક્ષા યોજાશે : નોટીફીકેશન

પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩ સપ્ટેમ્બર

નવી દિલ્હી, તા. ૭ : યુનિયન પબ્લીક સર્વિસ કમિશન દ્વારા આજે એનડીએ સહિતની પરીક્ષાનું નોટીફીકેશન જાહેર કર્યુ છે.

યુપીએસસી દ્વારા એનડીએ પરીક્ષા માટેના આવેદનપત્રની નોંધણી કાર્યવાહી શરૃ કરવામાં આવશે. પરીક્ષા આવેદનપત્ર ભરવાની અંતિમ તા.૩ સપ્ટેમ્બર છે. પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છુકો ૩ સપ્ટેમ્બર સાંજના ૬ સુધી ફોર્મ ભરી શકશે.

એનડીએ અને એનએ-૨ની પરીક્ષા ૧૭ નવેમ્બરે યોજાશે. નેશનલ ડીફેન્સ એકેડમીમાં ૩૭૦ અને નેવલ એકેડમીમાં ૪૫ બેઠકો મળી કુલ ૪૧૫ બેઠકો માટે યોજાશે. યુપીએસસી એનડીએ નોટીફીકેશન આયોગની વેબસાઈટ કાર્યરત કરવામાં આવશે. ઉમેદવારો વેબસાઈટ ઉપર જઈને પરીક્ષાનું ફોર્મ ભરી શકશે.

આ પદ માટે ઉમેદવારો માટે લેખિત પરીક્ષા, સાયકોલોજીકલ ટેસ્ટ, બુદ્ધિમતા, વ્યકિતત્વ પરીક્ષા સહિતના આધાર પર પસંદગી કરવામાં આવે છે. આ પરીક્ષામાં પસંદ થયેલા ઉમેદવારોને ભારતીય સેના, નૌસેના અને વાયુ સેનામાં નિયુકિત આપવામાં આવે છે.

(3:18 pm IST)