Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

જેડીયુમાં ૩૭૦ અંગે તડાઃ પાર્ટી વિરોધમાં: પૂર્વે પ્રવકતાએ ફેર વીચારણા કરવા જણાવ્યું

પટણાઃ જેડીયુ નેતા અજય આલોકે મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ નીતીશ કુમારને કલમ ૩૭૦ને ખતમ કરવા અંગે પાર્ટીના રૂખ અંગે ફેર વિચાર કરવા આગ્રહ કર્યો છે. અજયે જણાવેલ કે પાર્ટી વિરોધ અંગે ફરી વિચાર કરે

આલોકે વધુમાં જણાવેલ કે હુ નિતિશજીને આગ્રહ કરૂ છું કે દેશહિતને ધ્યાનમાં રાખી ૩૭૦મી કલમ કરે ૩૭૦ અંગે જેડીયુ દ્વારા વિરોધ કરાયા બાદ આલોક કુમારે જણાવેલ કે પાર્ટી બિહાર, જમ્મુ-કાશ્મીર અને લડાખના લોકોની ભાવનાને ધ્યાનમાં રાખી નિર્ણય કરે.નિતિશ કુમારે ૩૭૦મી કલમ હટાવવા અંગે કહેલ કે તેઓ ભાજપના આ પગલાની સાથે નથી. આ ઉપરાંત જેડીયુ નેતા ત્યાગી એ પણ આ અંગે વિરોધ કર્યો છે.

(1:17 pm IST)