Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

જમ્મુ-કાશ્મીરને લઇને કૉંગ્રેસમાં મનોમંથન : પૂર્વ પીએમ મનમોહનસિંહના નિવાસે મિટિંગ

જમ્મુ-કાશ્મીરનાં દિગ્ગજ નેતાઓ પણ હાજર : ત્રણેય ક્ષેત્રોનના તમામ મુદ્દાઓ પર ચર્ચા

 

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહની અધ્યક્ષતામાં તેમના નિવાસે જમ્મુ-કાશ્મીર પોલિસી ગૃપની બેઠક યોજાઈ હતી. જેમાં જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને ચર્ચા થઈ હતી.

 

   બેઠકમાં જમ્મુ-કાશ્મીરનાં દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતાં. સિવાય રાજ્યની સામાજિક અને રાજકિય સ્થિતિ પર તેમજ ત્રણેય ક્ષેત્રોને લઇને સર્જાયેલા તમામ મુદ્દાઓ પર પણ વાત કરી હતી

(12:00 am IST)