Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કેરળમાં કોરોનાનો કહેર વધતા દેશમાં નવા કેસ કરતા રિકવરી ઓછી : નવા 45.667 કેસ નોંધાયા : વધુ 44.474 દર્દીઓ રિકવર થયા : વધુ 817 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.05.057 થયો :એક્ટીવ કેસ 4.54.865 થયા : કુલ કેસની સંખ્યા 3.07.08.570 થઇ

સૌથી વધુ કેરળમાં 15.600 કેસ,મહારાષ્ટ્રમા 9558 કેસ, તામિલનાડુમાં 3367 કેસ,આંધ્રપ્રદેશમાં 3166 કેસ, કર્ણાટકમાં 2743 કેસ,ઓરિસ્સામાં 2602 કેસ , આસામમાં 2289 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 45.667 કેસ નોંધાયા છે. જ્યારે 44.474 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 45.667 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 817 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.05.057 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 45.667 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.07.08.570 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.54.865 થઇ છે છેલ્લા 24 કલાકમાં 44.474 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,98.36.465 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 15.600 કેસ,મહારાષ્ટ્રમા 9558 કેસ, તામિલનાડુમાં 3367 કેસ,આંધ્રપ્રદેશમાં 3166 કેસ, કર્ણાટકમાં 2743 કેસ,ઓરિસ્સામાં 2602 કેસ , આસામમાં 2289 કેસ નોંધાયા છે

(1:13 am IST)