Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

દેશમાં કોરોનાના નવા 43.957 કેસ નોંધાયા : વધુ 47.030 દર્દીઓ રિકવર થયા : વધુ 930 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.04.240 થયો :એક્ટીવ કેસ ઘટીને 4.54.516 થયા : કુલ કેસની સંખ્યા 3.06.62.896 થઇ

સૌથી વધુ કેરળમાં 14.373 કેસ,મહારાષ્ટ્રમા 8418 કેસ, તામિલનાડુમાં 3479 કેસ,કર્ણાટકમાં 3104 કેસ, આંધ્રપ્રદેશમાં 3104 કેસ, ઓરિસ્સામાં 2487 કેસ , આસામમાં 2433 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 43.957 કેસ નોંધાયા છે. જ્યારે 47.030 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 43.957 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 930 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.04.240 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 43.957 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.06.62.896 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 4.54.516 થઇ છે છેલ્લા 24 કલાકમાં 47.030 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,97.91.967 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કેરળમાં 14.373 કેસ,મહારાષ્ટ્રમા 8418 કેસ, તામિલનાડુમાં 3479 કેસ,કર્ણાટકમાં 3104 કેસ, આંધ્રપ્રદેશમાં 3104 કેસ, ઓરિસ્સામાં 2487 કેસ , આસામમાં 2433 કેસ નોંધાયા છે

(1:03 am IST)