Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 91 લોકોના મોત : મૃત્યુઆંક 3060 થયો

વધુ 1924 લોકોને ડિસ્ચાર્જ કરાયા :રાજ્યમાં અત્યાર સુધી 39314 લોકો સાજા થયા

મુંબઈ : મહારાષ્ટ્રમાં મોતની સંખ્યા પણ 3 હજારને પાર થયો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 91 લોકોના મોત થયા છે. આ સાથે અત્યાર સુધી મોતની સંખ્યા 3060 થઈ છે. મહારાષ્ટ્રમાં હજુ પણ 43601 લોકો કોરોના સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં લોકો સાજા પણ થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1924 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 39314 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે.

(10:01 pm IST)