Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સિંધિયાએ ટ્વિર પ્રોફાઇલથી ભાજપ હટાવ્યું

મધ્યપ્રદેશમાં ફરી રાજકારણ ગરમાયું : પ્રધાનમંડળના વિસ્તરણથી જયોતિરાદિત્ય નારાજ હોવાની ચર્ચા

નવી દિલ્હી : રાજયસભાની ચુંટણી  પૂર્વે મધ્યપ્રદેશમાં ફરી એકવાર રાજકીય હલચલ મચી ગઇ છે. પીઢ નેતા જયોતિરાદિત્ય સિંધિયા, જેમણે તાજેતરમાં જ કોંગ્રેસ છોડી દીધી હતી અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા, તેમણે તેમના ટ્વિર પ્રોફાઇલ પરથી ભાજપને હટાવ્યા હોવાનું ચર્ચાય છે. સિંધિયાની ટ્વિટર પ્રોફાઇલ પર હવે ફકત જાહેર સેવક અને ક્રિકેટપ્રેમી એવું લખેલું છે. જો કે આ મામલે હજી સુધી જયોતિરાદિત્ય સિંધિયા કે ભાજપ તરફથી કોઇ પ્રતિક્રિયા મળી નથી.

(1:01 pm IST)