Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

મુંબઈમાં કોરોના સંક્રમિતની સંખ્યા 47,354 થઈ: 1577 લોકોના મૃત્યુ

મુંબઈમાં આજે વધુ 2234 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : સાજા થયેલી દર્દીઓની સંખ્યા 37390 થઇ

 

મુંબઈ: દેશમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારષ્ટ્રમાં નોંધાયા છે ત્યારે રિપોર્ટ પ્રમાણે, મુંબઈમાં હવે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંક્યા વધીને 47,354 સુધી પહોંચી ગઈ છે. તો મુંબઈમાં અત્યાર સુધી કુલ 1577 લોકોના મૃત્યુ થયા છે

  બીજીતરફ . આજે દિવસમાં 2234 દર્દીઓ સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી આ મહામારીથી 37390 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 5,37,124 નમૂનાની તપાસ કરવામાં આવી છે. તેમાંથી 82,968 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

(11:45 pm IST)