Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

ધારાવીમાં કોરોનાના 10 નવા કેસ નોંધાયા : કુલ : સંક્રમિતની સંખ્યા 1899 થઇ :: 71 લોકોના મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં ઘાતક વાયરસથી મૃત્યુનો કોઈ મામલો સામે આવ્યો નથી

 

મુંબઈના ધારાવીમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના 10 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે વિસ્તારમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1899 થઈ ગઈ છે. બીએમસીના એક અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં ઘાતક વાયરસથી મૃત્યુનો કોઈ મામલો સામે આવ્યો નથી. અત્યાર સુધી ઝુપડપટ્ટીમાં 71 લોકોના મૃત્યુ થયા છે.

(11:40 pm IST)