Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

પૂ,હરિચરણદાસબાપુની રાજકોટ વોકહાર્ટમાં સારવાર : ભાવિકોમાં ઘેરી ચિંતા

બાથરૂમમાં પડી જતા થાપામાં ફ્રેક્ચર : સ્પેશ્યલ ચાર્ટડ ફ્લાઈટમાં રાજકોટ લવાયા

રાજકોટ : પ,પૂ,1008 મહામંડલેશ્વર શ્રી હરિચરણદાસ બાપુ અયોધ્યામાં પડી જતા તેઓશ્રીને તાત્કાલિક ચાર્ટડ ફ્લાઇટ મારફત રાજકોટ લવાયા છે અને વોકહાર્ટ હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે પૂ,હરિચરણદાસ બાપુ બાથરૂમમાં પડી જતા થાપામાં ફ્રેક્ચર થયું છે આ બાબતની જાણ થતા ભાવિકો દોડી ગયા હતા ,પ્રાથમિક તપાસમાં તબીબોએ થાપાના ભાગમાં ઇજા પહોંચી હોવાનું જણાવી ઓપરેશન કરવા જણાવ્યું હતું

(8:00 pm IST)