Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017


નાગપુરમાં વાઘણના પરંપરાગત અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા

નાગપુર તા. ૬: નાગપુર પાસેના એક વાઇલ્ડલાઇફ રિઝર્વમાં રહેતી એક વાઘણે નજીકના ગામના ચાર માણસોને મારી નાખ્યા હોવાથી જંગલ ખાતાના અધિકારીઓને આ વાઘણને જોતાંની સાથે ઠાર મારવાનો આદેશ અપાયો હતો. જોકે ગામ લોકોએ વાઘણને બચાવી લેવા માંગતા હતા. એટલે જંગલ ખાતાના અધિકારી વસીફ જમશેદે વાઘણને ઇન્જેકશન દ્વારા બેભાન કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ ગામ નજીક કોઇકે ગેરકાનૂની રીતે હાઇ-વોલ્ટેજ ઇલેકિટ્રક ફેન્સ બનાવી હતી. જેના કરન્ટથી વાઘણ ત્યાં  જ મૃત્યુ પામી હતી. જોકે ગામ લોકોએ ભેગા થઇને આ વાઘણના વિધિવત્ અંતિમ સંસ્કાર કર્યા હતા. ફૂલો દ્વારા એને શ્રદ્ધાંજલિ આપી અને લાકડાંની ચિતા ગોઠવીને અગ્નિદાહ આપ્યો હતો.

(3:55 pm IST)