Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

પુલવામા જેવો એક વધુ આતંકી હુમલો થશેઃ અનુચ્છેદ ૩૭૦ હટાવવા પર પાક પીએમ ઇમરાન ખાનની પ્રતિક્રિયા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનએ ભારત દ્વારા અનુચ્છેદ ૩૭૦ હટાવવા પર કહ્યું છે કે જો ભારતએ કાશ્મીરના લોકોને દબાવવાનું ચાલુ રાખ્યું તો પુલવામા જેવો વધુ એક આતંકી હુમલો થશે.

        નેશનલ અસેમ્બલીના સંયુકત ક્ષેત્રને સંબોધિત કરતા ઇમરાનખાનએ કહ્યું કે પુલવામા હુમલામાં પાકિસ્તાનને કંઇ લેવા-દેવા ન હતુ અને એ ભારત પણ જાણે છે.

        સંયુકત રાષ્ટ્રના પ્રસ્તાવો વિરૂધ્ધ ભારત ગયું છે.

(11:32 pm IST)