Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

મોડીરાત્રે દિલ્હીના જાકિરનગરની ઇમારતમાં ભયંકર આગ ભભૂકી :7 લોકોના કરૂણમોત : 11 લોકો ગંભીર

આગ બુઝાવવા સાત ફાયર ફાયટરોએ જહેમત ઉઠાવી :ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા

નવી દિલ્હી : દિલ્હીના જાકિરનગરની એક ઈમારતમાં લેગાલી આગમાં સાતના મોત અને 11 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે

 . ઈમારતમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી. આગને ઓલવવા માટે સાત જેટલી ફાયર ફાઈટરની ગાડીની મદદ લેવામાં આવી હતી. ઈમારતમાં લાગેલી આગ પાછળ શોર્ટસર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

જ્યારે આગની ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્વામાં આવ્યા. ત્યારે ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

(1:18 pm IST)