Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

યોગેન્દ્ર યાદવનું ચોંકાવનારૂ બયાન....

ઇતિહાસ સાક્ષી છે, ગળે લગાવવાને બદલે ગળુ દબાવવાની નિતિનો ભોગ આવનારી પેઢીઓ બને છે.

'આપ'ના એક સમયના ધરખમ ગજાના નેતા અને ''સ્વરાજ ઇન્ડિયાના''ના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી યોગેન્દ્ર યાદવે ટવીટ્ કરીને લખ્યું છે કે અટલ બિહારી વાજપેયીએ કાશ્મીર નીતિ માટે ૩ સુત્ર આપ્યા હતા. ઇન્સાનિયત, જમ્હુરિયત અને કશ્મીરીયત... આજે આ ત્રણેને નજર અંદાજ કરનારો નિર્ણય છેવટે અલગાવવાદીઓ- સેપરેટીસ્ટસ અને પાકિસ્તાન સમર્પિત આતંકીઓના હાથ મજબુત કરશેે. ઇતિહાસ સાક્ષી છે કે ગળે લગાવવાને બદલે ગળુ દબાવવાની નિતિનો ભોગ આવનારી પેઢીઓ બનતી આવી છે.

 

શ્રી યોગેન્દ્ર યાદવ ટવીટ્ર ઉપર ૧૨ લાખ ફોલોઅર ધરાવે છે.

 

(11:02 am IST)