Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

મમતાને ફરીથી સત્તા પર આવવાની આશા

ગદ્દારોને ટીએમસી છોડવાનું કહ્યું

કોલકાતા, તા. ૬ :. લોકસભા ચૂંટણીઓમાં નિરાશાજનક દેખાવ કર્યા પછી પણ તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીએ ગઈકાલે પક્ષ કાર્યકરોને કહ્યું કે ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં ફરીથી જીત મળવાનો તેમને વિશ્વાસ છે.

બાંકુડા અને ઝારગ્રામ જીલ્લાના પક્ષના નેતાઓ સાથેની એક મીટીંગ દરમ્યાન મમતાએ ગદ્દારોને પક્ષને નુકસાન પહોંચાડવાને બદલે પક્ષ છોડી દેવાનુ કહ્યું.

બાંકુડાના તૃણમૂલના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે અમારા પક્ષના નેતાએ કહ્યું છે કે, તેને ૨૦૨૧ની ચૂંટણી જીતવાનો વિશ્વાસ છે. પક્ષની અંદર રહીને ભાજપા માટે કામ કરી રહેલા નેતાઓ પક્ષ છોડીને જઈ શકે છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતાએ પક્ષના લોકસભા ચૂંટણીમાં થયેલા ખરાબ પ્રદર્શન બાબતે કેટલાક નેતાઓને ખખડાવ્યા હતા.

(3:37 pm IST)