Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

આઇએસઆઇના જ એક જાસૂસે કરેલો રહસ્ય સ્ફોટ

પાકિસ્તાન ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ ર૬/૧૧ જેવો મોટો આતંકવાદી હૂમલો કરવાની તૈયારીમાં

નવી દિલ્હી તા. ૬ :.. પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ ફરી એક વાર ભારતમાં ર૬-૧૧ જેવો મોટો આતંકવાદી હૂમલો કરવાની તૈયારી કરી રહી હોવાની જાણકારી આઇએસઆઇના જ એક જાસૂસે આપી હતી. શ્રીલંકામાં વસતા એક પાકિસ્તાની રાજનેતાએ રોકેલા સાકિર હુસૈન નામના આ જાસુસને એનઆઇએએ ઝડપી લીધો હતો. તેની આકરી પૂછપરછ દરમ્યાન આ વાત જાણવા મળી હતી.

તેણે કહયું હતું કે આઇએસઆઇ નવેસરથી આતંકવાદીઓની ભરતી કરી રહી છે અને ભારતમાં ર૬-૧૧ જેવો એક મોટો આતંકવાદી હૂમલો કરવાની યોજના ઘડાઇ રહી હતી.

શ્રીલંકામાં વસતા પાસ્તિાની રાજનેતા  આમીર ઝૂબેર સિદીકી આ યોજનાને આખરી સ્વરૂપ આપી રહ્યા હોવાનો દાવો પણ સાકિરે કર્યો હતો.

સાકિરે કહયું કે મને ઝૂબેરે વાતવાતમાં એમ કહયું હતું કે હું ટીવી ખોલું ત્યારે ભારતમાં ઠેર-ઠેર બોમ્બ વિસ્ફોટ થયા હોય એવા સમાચાર જોવા થનગની રહ્યો છું તને જોઇતી તમામ સામગ્રી હું મેળવી આપું. તું આ કામની જવાબદારી સંભાળી લે. તેણે મને એમ પણ કહયું હતું કે ભારતની જાસૂસી સંસ્થા રોની શ્રીલંકામાંની કચેરીઓ પર પણ આવા હૂમલા કરવા છે. એ માટે પણ તારી મદદની જરૂર છે.

(11:09 am IST)