Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

છત્તીસગઢમાં હાથીના હુમલામાં અત્યાર સુધી પાંચના મોત

રાચી,તા.૬: છત્તીસગઢના રાયગઢ જીલ્લામાં જંગલી હાથીના હુમલાની અલગ અલગ ધટનાઓમાં બે વધુ લોકોના મોત નિપજયા હાં આ સાથે જ છેલ્લા ત્રણ દિવસમાં આ વિસ્તારમાં આ રીતની ધટનાઓમાં મૃત્યુ પામનારાઓની સંખ્ય વધીને પાંચ થઇ ગઇ છે.

વન અથધિકારી પ્રણય મિશ્રાએ જણાવ્યું હતું કે ખડગાંવના નિવાસી ગુરૂવર સિંહ રાઠિયા પર પાસેના એક જંગલમાં હાથીએ હુમલો કર્યો હતો જેને તેમનું મોત નિપજયુ હતું.જયારે બાદમાં લગભગ પાંચ કિલોમીટર દુર આ હાથીએ સેમીપાલ ગામના તેજરામ અગરિયા ઉવ ૫૪ પર હુમલો કર્યો હતો જેથી તેનું મૃત્યુ થયું હતુ. મિશ્રાએ કહ્યું કે મૃકોના પરિવારજનોને ૨૫-૨૫ હજાર રૂપિયાની તાકિદે રકમ આપવામાં આવી રહી છે. 

એ યાદ રહે કે શનિવારે રાયગઢના સીથરા ગામમાં એક સેવાનિવૃત સેના કર્મચારી પર હાથીએ હુમલો કરતાં તેમનું મૃત્યુ થયા હતાં જયારે જસપુર જીલ્લામાં હુમલો કરવામાં આવતા એક અન્ય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.આ વિસ્તારમાં હાથીથી લોકો ભયમાં છે અને ગામવાળા ઘરની બહાર નિકળતા ડરે છે.

(3:35 pm IST)