Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના નૌગામ ગામમાં ભાજપના નેતા ગુલ મોહમ્મદ મીરની આતંકવાદીઓએ ઘરમાં ઘૂસી ગોળી મારી હત્યા કરી

Photo : Gul Mahamad

નવી દિલ્હી : દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના નૌગામ ગામમાં શનિવારની રાત્રી (4 મે) ના રોજ વરિષ્ઠ ભાજપના નેતા ગુલ મોહમ્મદ મીરનું મોત થયું હતું. આતંકવાદીઓએ નેતાના ઘરમાં પ્રવેશ કર્યો અને તેમને ગોળી મારી. મીર અનંતનાગ જીલ્લાના ભાજપના ઉપપ્રમુખ હતા. 6 મેના રોજ અનંતનાગ જિલ્લાના શોપિયન અને પુલ્વામામાં મતદાન છે,ત્યારે તેના 48 કલાક પહેલા બનેલી આ ઘટના એ ભય ફેલાવ્યો છે.

આ ઘટના અંગે પોલીસના જણાવ્યા મુજબ, ગુલ મોહમ્મદ મીર એક વરિષ્ઠ ભાજપના નેતા હતા. આતંકવાદી શનિવારે રાત્રે તેમનાં નૌગામ સ્થિત તેમનાં ઘરે ગયા હતા અને તેમની કારની ચાવી માંગી. કાર ચાલુ કરી ભાગતા પહેલા મીર પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. તેમને અનંતનાગ જીલ્લાના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

(12:00 am IST)