Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

જાલંધરમાં ડબલ મર્ડરની દર્દનાક ઘટના :દિવ્યાંગ માતા-પુત્રની બેરહેમીથી હત્યા

બોલી નહીં શકનાર વૃદ્ધ માતાનો મૃતદેહ ઘરમાંથી અને ચાલી નહીં શકતા પુત્રની લાશ ખેતરમાંથી મળી

પંજાબના જલંધરમાં ડબલ મર્ડરની દર્દનાક ઘટના સામે આવી છે. લોહિયાના ખાસના એક ગામમાં અલીવાલમાં દિવ્યાંગમાં માતા-પુત્રની બેરહમીથી હત્યા કરવામાં આવી હતી. જ્યાં એક વૃદ્ધ માતા બોલી શકતી હતી અને યુવક ચાલી શકતો હતો. યુવકની લાશ ઘરેથી થોડે દૂર ખેતરમાંથી માંથી મળ્યો હતો. જ્યારે મહિાલની લાશ ઘરમાં પડેલી મળી હતી.

બેવડી હત્યાની ઘટનામાં મહડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને માતા-પુત્રની લાશોનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ મોકલી આપી હતી. શરૂઆતી તપાસમાં હત્યા પાછળ લૂંટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું લાગી રહ્યું છે કે હત્યા પાછળ કોઈણ જાણભેદું હાથ છે.

ઘટનાની તપાસ કરી રહેલી પોલીસનું કહેવું છે કે અત્યારે ઘટના સ્થળેથી કોઈ હથિયાર મળ્યું નથી. હત્યા પાછળ ચોરીનું કારણ પણ હોઈ શકે છે. હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી.

ગામના લોકોના કહેવા પ્રમાણે મૃતક મંગત રામ ગાવમાં રહીને બકરીઓ ચરાવવાનું કામ કરતો હતો. જ્યારે માતા કરતારી ગામની પાસેના વિસ્તારોમાં ભીખ માંગીને જીવન પસાર કરતી હતી. તે મંગળવારે લોહડી માંગીને આવી હતી. લૂંટારુઓએ થોડા પૈસાની લાલચમાં માતા-પુત્રની હત્યા કરી દીધી હતી.

પોલીસનું કહેવું છે કે ડબલ મર્ડર કેસની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં હત્યારો પકડાઈ જવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

(12:35 am IST)