Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

નરેન્દ્રભાઈ દ્વારા આગામી ૭ ઓકટો.ના કચ્છની રામબાગ હોસ્પિટલ મધ્યે ઓકિસજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ: પીએમ કેયર્સ ફંડમાંથી નિર્મિત પ્લાન્ટની ક્ષમતા પ્રતિ મિનિટ ૧૦૦૦ એલએમપી

ભુજ :  આગામી તા.૭મી ઓકટો-૨૦૨૧ના રામબાગ એસ.ડી.એચ. હોસ્પિટલ, ગાંધીધામ ખાતે પીએમકેયર્સ ફંડમાંથી નિર્માણ પામેલ પીએસએ ઓકિસજન પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે તેમજ ગુજરાત રાજયના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ મંત્રી આર.સી .મકવાણાની ગાંધીધામ ખાતેની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર રાષ્ટ્રના PSA PLANT સાથે સામુહિક ઈ-લોકાર્પણ કરવામાં આવશે.

પીએમકેયર્સ ફંડમાંથી નવનિર્મિત પ્લાન્ટની ક્ષમતા લીટર પ્રતિ મીનીટ (એલએમપી) ૧૦૦૦ ની છે.

(8:22 pm IST)