Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

શકિતની દેવીનાં ૪૨૨ સ્વરૂપ

કલકત્તામાં દુર્ગામાનું ખૂબ માહાત્મ્ય છે અને લાખો લોકો કોઈને કોઈ રીતે તેમની પૂજા-અર્ચનામાં વ્યસ્ત થઈ ગયા છે. શહેરના ન્યુ અલીપોર વિસ્તારમાં પ્રોબીરકુમાર મિશ્રા અને તેમની પુત્રીએ દુર્ગા મહોત્સવ પહેલાં પોતાના ઘરને મ્યુઝિયમ બનાવી નાખ્યું છે અને એમાં રંગોળી બનાવી છે. મિશ્રા પરિવારના શકિત માતા દેવી વિશ્વદર્શન નામના મ્યુઝિયમમાં શકિતના આ પ્રતીકને અલગ-અલગ રીતે કુલ ૪૨૨ રૂપમાં બતાવ્યાં છે અને એ કુલ ૨૭ દેશમાંથી ભેગા કરવામાં આવ્યાં છે. શકિતનાં પ્રતીક દેવીઓમાં નવદુર્ગા, નવરાત્રિ શકિત માતા અને દસમાહાવિદ્યાનો સમાવેશ છે.

(3:23 pm IST)