Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

" શ્રીમદ રામાયણ કથા" : યુ.એસ.માં મંગલ મંદિર ,મેરીલેન્ડ મુકામે આવતીકાલ 6 જુલાઈથી 12 જુલાઈ 2019 દરમિયાન કરાયેલું આયોજન : હિન્દી ભાષામાં યોજાનારી કથાના વ્યાસાસને શ્રી એચ.જી.લાલ ગોવિંદ દાસ બિરાજી કથાનું રસપાન કરાવશે

મેરીલેન્ડ : યુ.એસ.માં મંગલ મંદિર ,17110 ,ન્યુ હેમ્પશાયર એવન્યુ ,સિલ્વર સ્પ્રિંગ મેરીલેન્ડ મુકામે આવતીકાલ 6 જુલાઈથી 12 જુલાઈ 2019 દરમિયાન શ્રીમદ રામાયણ કથાનું આયોજન કરાયું છે.

હિન્દી ભાષામાં યોજાનારી આ કથાના વ્યાસાસને શ્રી એચ.જી.લાલ ગોવિંદ દાસ બિરાજી કથામૃતનું રસપાન કરાવશે કથાનો સમય 6 જુલાઈ શનિવારે સવારે 9-45  વાગ્યાથી બપોરે 12-30 વાગ્યા સુધીનો રહેશે તથા કથા બાદ પ્રીતિ ભોજનનું આયોજન કરાયું છે.7 જુલાઈ રવિવારના રોજ કથાનો સમય બપોરે 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો રહેશે બાદમાં પ્રીતિ ભોજન યોજાશે

સોમવારથી શુક્રવાર દરમિયાન કથાનો સમય સાંજે 7 વાગ્યાથી રાત્રીના 9-30 સુધીનો રહેશે તથા પ્રીતિ ભોજનનો સમય સાંજે 6 વાગ્યાથી 6-45 વાગ્યા સુધીનો રહેશે

કથાના સ્પોન્સર તરીકે સુશ્રી ઉષાબેન તથા શ્રી નરેશભાઈ પંડ્યા અને સુશ્રી રીટાબેન અને શ્રી વીરેન્દ્ર છુંછા પરિવાર છે.

શ્રીમાન લાલ ગોવિંદ ( કલ્પેશ પટેલ ) વૈષ્નવ પરિવારના સંતાન છે.તથા ભાગવત ,શ્રીમદ ભગવત ગીતા ,રામાયણ ,મહાભારત સહિતના ધાર્મિક ગ્રંથોનું વિશાળ વાંચન ધરાવે છે.ગુજરાતના ભાવનગરમાં જન્મેલા અને મુંબઈમાં ઉછરેલા શ્રી લાલ ગોવિંદ દાસના વ્યાસાસને શ્રીમદ રામાયણ કથાનો લહાવો લેવા સહુને આમંત્રણ પાઠવાયું છે.

વિશેષ માહિતી માટે શ્રી ઈશ્વરભાઈ પટેલ ( 443)-694-3541 અથવા ડો.કિરણ પરીખનો કોન્ટેક નં (443)-562-1562  દ્વારા સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(6:21 pm IST)