Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

૩ કરોડ દુકાનદારોને મળશે પેન્શન

નાણા પ્રધાન સીતારમણની બજેટમાં જાહેરાત

નવી દિલ્હી, તા. પ : નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે લોકસભામાં બજેટ રજૂ કરતા કહ્યું કે દોઢ કરોડ રૂપિયાથી ઓછાનો ધંધો કરતા ૩ કરોડ છુટક ધંધાર્થીઓ અને વેપારીઓ માટે પ્રધાનમંત્રી માનધન પેન્શન લાભ યોજના લાવવામાં આવશે. એટલે કે હવે આ યોજનામાં નાના દુકાનદારોને પણ જોડવામાં આવશે.

નાણાપ્રધાને જાહેર કર્યું કે નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે સાથે જ માત્ર પ૯ મિનીટમાં બધા દુકાનદારોને લોન આપવાની પણ યોજના છે. આનો લાભ ૩ કરોડથી પણ વધારે નાના દુકાનદારોને મળી શકશે.

(3:26 pm IST)