Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 46 હજારને પાર પહોંચ્યો

છેલ્લા 24 કલાકમાં 3900 કેસ વધ્યા : વધુ 195 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1598 થયા

 નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધુ નવા 3900 કેસ સામે આવ્યા છે. જ્યારે સર્વાધિક 195 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 46,433 થઇ છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 1568 લોકોના મોત થયા છે.

(12:24 am IST)