Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

કર્ણાટકમાં 'યોગી' જાગ્યાઃ લક્ષ્મીવારા તીર્થા સ્વામી ચૂંટણી લડશે !

શિરૂર મઠના મઠાધીશે ભાજપ પાસે ટિકિટ માંગીઃ રાજકીય હલચલ

બેંગલુરૂ તા. પઃ કર્ણાટકમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. રાજ નેતાઓ વિવિધ મઠની મુલાકાતો લઇ રહ્યા છે. એક પ્રતિષ્ઠિત મઠના મઠાધીશ ખુદ રાજનીતિમાં ઝંપલાવી રહ્યા હોવાનું બહાર આવતા હલચલ મચી ગઇ છે.

શિરૂર મઠના મઠાધિશ લક્ષ્મીવારા તીર્થા સ્વામીજીએ ખુદે ચૂંટણીના મેદાનમાં ઉતરવાની ઘોષણા કરી છે.

આ મઠ અને આ મઠાધીશ ખૂબ પ્રતિષ્ઠા ધરાવે છે. લાખો અનુયાયીઓ છે. મઠાધીશે ભાજપની ટિકિટ માંગી છે. પોતે પ્રખર હિન્દુત્વમાં માનતા હોવાની વાત કરી છે.

સ્વામીજી મેદાનમાં આવતા વિવિધ મઠના મઠાધીશો પણ આશ્ચર્યચકિત થયા છે. રાજકીય ક્ષેત્રે ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસ આ સ્વામીજીને ટિકિટ આપવા તૈયાર છે. પણ સ્વામીજી ના પાડે છે. સ્વામીજીએ ભાજપ પાસે ટિકિટ માંગી પણ સ્વામીજીનો વિરોધ ભાજપમાં જ ઉઠયો છે. ટિકિટ આપે તો બળવા જેવી સ્થિતિ સર્જાય તેમ છે. બંને પક્ષો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

(12:59 pm IST)