Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

સુષ્મા સ્વરાજ પહોંચ્યા અજરબૈજાનઃબંને પક્ષોની બેઠક

બીજા દેશો સાથે પોતાના સંબંધો સુધારવા માટે ભારત સતત પ્રયાસ કરી રહ્યું છે, હાલ ભારતના આ પ્રયાસોની હારમાળામાં એક કડી વધુ જોડાઈ ગઈ છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આજે ત્રણ દિવસના પ્રવાસે અજરબૈજાન ગયા છે. સુષ્મા અજરબૈજાનમાં આયોજીત ગેર-અલગાવવાદી આંદોલનની મધ્યકાળની મંત્રી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે અજરબૈજાન ગયા છે.

તેઓની અજરબૈજાનના વિદેશમંત્રી એલ્મર મામ્મદયરોવ સાથે વિભિન્ન દ્વિપક્ષીય સંબંધો, ક્ષેત્રીય અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દે ચર્ચા થઈ. બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં સુષ્મા સ્વરાજે જણાવ્યું કે, 'ભારત અજરબૈજાન સાથે નજીકથી કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે અજરબૈજાન સાથે વિશ્વસનીય, મજબુત, ગતિશીલ અને પરસ્પર લાભકારી સંબંધ ઈચ્છીએ છીએ.'

આ અજરબૈજાનમાં કોઈ ભારતીય વિદેશમંત્રીની પહેલી દ્વિપક્ષીય યાત્રા છે. આ અગાઉ સુષ્મા સ્વરાજે અજરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલહમ અલીયેવ સાથે રાષ્ટ્રપતિ પેલેસમાં મુલાકાત કરી અને વ્યાપાર અને રોકાણ ક્ષેત્રમાં સહયોગ વધારવા અંગે ચર્ચા પણ કરી હતી. તેઓએ રાષ્ટ્રપતિ સાથે સંપર્ક અને પરિવહન, સંસ્કૃતિ અને પર્યટન, ફાર્મા, ઉર્જા, આઈટી અને અન્ય ક્ષેત્રોમાં પણ સંબંધોને વધુ મજબુત બનાવવા અંગે વિચર-વિમર્શ કર્યા હતા.

(12:58 pm IST)